(૧૭) પ્રકીર્ણ
અન્ય ઉપયોગી માહિતીઃ-
નાગરીકો દ્વારા આ માહિતી (મેળવવાનાં) અધિકાર અધિનિયમ-ર૦૦પ ની જોગવાઈ મુજબની માહિતી મેળવવા નિયત નમુનામાં અથવા સાદી અરજી જાહેર માહિતી અધિકારીને કરી તેઓ પાસેથી માહિતી મેળવી શકશે. આ માટે સરકારશ્રી દ્વારા નકકી કરેલ દરે ફી ભરવાની રહેશે, બી.પી.એલ. કાર્ડ ધરાવતા અરજદારે ફી ભરવાની રહેતી નથી. પરંતુ તેઓએ અરજી સાથે બી.પી.એલ. કાર્ડની પ્રમાણીત નકલ રજુ કરવાની રહેશે. નાગરીકો દ્વારા માંગેલ માહિતી જો રાષ્ટ્રની અખંડીતતા જોખમાય અને જાહેરહિતને નુકશાન કરતા હોય તથા ગુનેગારોની તપાસ અથવા ધરપકડ અથવા તેમની સામેની ફોજદારી કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે તેવી અથવા કાયદાની અમલ બજવણી માટે અવરોધક હોય અથવા કોઈ વ્યકિતની જીંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મુકે અથવા ખામી રાહે મળેલી માહિતી અથવા મદદનો સ્ત્રોત ઓળખી બતાવે તેવી કોઈ માહિતી પુરી પાડવામાં આવશે નહીં.