|
રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરી
તા.૨૭/૦૬/૨૦૧૬ થી તા.૦૩/૦૭/૨૦૧૬ સુધીની સારી કામગીરી
વણ શોધાયેલ ખુનનો ગુનો શોધી કાઢયોઃ-
તા.૩૦/૦૬/ર૦૧૬ ના રોજ રાત્રીના સમયે કોઇપણ વખતે રાજકોટ ખાતે આવેલ શ્યામલ સીટી પાછળ આવેલ દેવમ એપાર્ટમેન્ટમાં રહેતા ધીરજભાઇ ડાયાભાઇ વિકાણી પટેલનું શાપર-વેરાવળ મુકામે બસ સ્ટેન્ડ પાછળ કોઇ અજાણ્યા માણસે માથામાં પથ્થરનો ઘા મારી ખુન કરી નાખેલ હાલતમાં લાશ મળેલ હતી. જેથી આ અંગે આ મરનારની પત્ની સવિતાબેન વા/ઓ.ધીરજભાઇ વિકાણી પટેલ ઉવ.પપ રહે,રાજકોટ વાળીની વિગતવારની ફરીયાદ લઇ અજાણ્યા માણસ વિરૂધ્ધ શાપર (વે) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૩/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૦૨ મુજબનો ગુનો તા.૩૦/૦૬/ર૦૧૬ ના ક.૧૩-૪પ વાગ્યે દાખલ કરવામાં આવેલ હતો.આ ગુનો વણ શોધાયેલ જાહેર થયેલ હોય તેમજ પથ્થરથી માથામાં ઇજા કરી મોત નિપજાવેલના અગાઉ રાજકોટ શહેરમાં પણ બનાવો બનેલ હોય જેથી આ બનાવ ખુબજ ચર્ચાસ્પદ બનેલ હતો. અને આવા બનાવ પોલીસ માટે શોધવા પડકાર રૂપ હોય જેથી ગુન્હો શોધી કાઢવા સ્થાનિક પોલીસ/ એલ.સી.બી/ એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી.ના ફુટેજ મેળવી તેમજ શકદારોને ચેક કરી આ ગુનો શોધી કાઢવા તાત્કાલીક ઉંડાણપુર્વક પ્રયાસો કરાવતા આ ગુન્હાની તપાસ દરમ્યાન આ કામે મરણ જનાર ધીરજભાઇ તથા પોરબંદર તાબેના મંડેર ગામના અને હાલ શાપર-વેરાવળમાં રહેતા સંદિપ ઉર્ફે સુરેશ લીલાભાઇ મોકરીયા કોળીને બસસ્ટેન્ડ માં સુવા બાબતે ચારેક દિવસ પહેલા માથાકુટ થયેલ હોય જેથી આ સંદિપ ઉર્ફે સુરેશ લીલાભાઇ મોકરીયા, કોળીએ આ ખુન કરેલાનું જણાવતા મજકુરને તા.૦૧/૦૭/ર૦૧૬ ના રોજ ઝડપી લઇ આ ચર્ચાસ્પદ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
--------------------------------------------
|
|